નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ (વેસ્ટ ઝોન) તરીકે નિયુક્ત, વનતારાએ વન્યજીવ આરોગ્યને રોગની વ્યાપક દેખરેખ અને સંકલિત પ્રતિભાવ પ્રણાલિઓ સાથે એકીકૃત કરીને ભારતની વન્ય આરોગ્ય ઇકોસિસ્ટમને મજબૂત બનાવી છે. તેની વૈજ્ઞાનિક ઢબે સારવારની પ્રણાલિની મધ્યમાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા અને 11 સેટેલાઈટ લેબોરેટરીઝનો સમાવેશ થાય છે, જેને 70થી વધુ નિષ્ણાતો દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને દરરોજે 2,000થી વધુ ડાયગ્નોસ્ટિક નમૂનાઓ પર પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં બાયો-બેન્કિંગ, આગામી પેઢીના સિક્વન્સિંગ, મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, પેથોલોજી, પેરાસિટોલોજી અને ટોક્સિકોલોજીનો સમાવેશ થાય છે.

