Final Up to date:
Rohit Sharma-Virat Kohli: ટી20 વર્લ્ડ કપ 2026 પછી ભારતીય ક્રિકેટ ટીમનું સંપૂર્ણ ધ્યાન 50 ઓવરના ફોર્મેટ પર શિફ્ટ થવાનું છે. IPL 2026 પછી ટીમ ઇન્ડિયા વનડે વર્લ્ડ કપની રણનીતિ પર કામ શરૂ કરશે, જેની શરૂઆત અફઘાનિસ્તાન સામે રમાનાર વનડે સીરિઝ સાથે થશે.
Rohit Sharma-Virat Kohli: ટી20 વર્લ્ડ કપ 2026 પછી ભારતીય ક્રિકેટ ટીમનું સંપૂર્ણ ધ્યાન 50 ઓવરના ફોર્મેટ પર શિફ્ટ થવાનું છે. ભારતીય ક્રિકેટના બે મોટા સ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ તેઓ 2027 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા હજુ પણ વનડે ફોર્મેટનો ભાગ છે. IPL 2026 પછી ટીમ ઇન્ડિયા વનડે વર્લ્ડ કપની રણનીતિ પર કામ શરૂ કરશે, જેની શરૂઆત અફઘાનિસ્તાન સામે રમાનાર વનડે સીરિઝ સાથે થશે.
ભારત પ્રવાસ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમ એક ટેસ્ટ મેચ સાથે ત્રણ વનડે મેચની સીરિઝ પણ રમશે. વનડે સીરિઝથી રોહિત અને વિરાટ ફરી એકવાર ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે. આ સીરિઝ તેના માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે આ 2027 વર્લ્ડ કપની તૈયારીનું પહેલું મોટું પગલું છે. સીરિઝની પહેલી મેચ 14 જૂનના રોજ ધર્મશાળામાં રમાશે. ત્યાર બાદ 17 જૂનના રોજ લખનઉ અને 20 જૂનના રોજ ચેન્નઈમાં બંને ટીમો સામસામે હશે. આ બંને દેશો વચ્ચે આ પહેલી વનડે સીરિઝ હશે.
આ સીરિઝ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે 2026માં વધુ 12 વનડે મેચ રમવાની તક હશે. જુલાઈમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં 3 વનડે મેચ રમાશે, આ મેચ 14 થી 19 જુલાઈની વચ્ચે રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા ઓક્ટોબર 2026માં વેસ્ટઇન્ડીઝ સામે ઘરેલુ સીરિઝ રમશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 3 વનડે સીરિઝ રમાશે.
જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે, આ દરમિયાન પણ 3 વનડે મેચ રમાશે. ત્યાર બાદ વર્ષના અંતે ભારતીય ટીમ શ્રીલંકા સામે ઘરેલુ સીરિઝ રમશે. આ દરમિયાન પણ 3 વનડે મેચનું આયોજન કરાયું છે. એટલે કે કુલ 15 મેચ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આગામી ભવિષ્ય નક્કી કરનાર બની રહેશે. આ બંને ખેલાડી વનડે વર્લ્ડ કપ રમશે કે નહીં તેના પર BCCIએ એક પણ વાર ખુલીને વાત કરી નથી. એવામાં આ દિગ્ગજો પાસે પોતાની ફિટનેસ અને ફોર્મને સાબિત કરવા માટે મોટી તક હશે.

