ખામેનેઈના વારસદારને પણ ખતમ કરી દઈશું, નામ કે જગ્યાથી કોઈ ફરક નથી પડતો: ઈઝરાયેલની ધમકી

ખામેનેઈના વારસદારને પણ ખતમ કરી દઈશું, નામ કે જગ્યાથી કોઈ ફરક નથી પડતો: ઈઝરાયેલની ધમકી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

કાટ્ઝે એક નિવેદનમાં કહ્યું કે ઈરાની સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવેલા કોઈ પણ નેતા જે ઈઝરાયેલને ખતમ કરવા, યુએસ અને આઝાદ દુનિયા સાથે વિસ્તારના દેશોને ધમકી આપશે અને ઈરાની જનતા પર જુલમ કરવાનો પ્લાન બનવાશે, તો નિશ્ચિતપણે તેનો ખાતમો અમારા આગામી ટાર્ગેટ હશે.

News18
News18

તેલ અવીવ: ઈઝરાયેલના રક્ષામંત્રી ઈઝરાયેલ કાટ્ઝે કહ્યું કે, અલી ખામેનેઈની જગ્યાએ ઈરાની સરકાર તરફથી ચૂંટાયેલા કોઈ પણ લીડરનો ખાત્મો સ્પષ્ટ રીતે તેમનો ટાર્ગેટ હશે. તેમણે કહ્યું કે, જે પણ નેતા ઈઝરાયેલ વિરુદ્ધ કામ કરશે અથવા તેને ખતમ કરવાની વાત કરશે, તે ઈઝરાયેલના ટાર્ગેટ પર હશે. કાટ્ઝે એવું પણ કહ્યું કે નામ અથવા જગ્યા તેનાથી કોઈ ફરક પડતો નથી. ઈઝરાયેલ તેને શોધી લેશે.

ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, કાટ્ઝે એક નિવેદનમાં કહ્યું કે ઈરાની સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવેલા કોઈ પણ નેતા જે ઈઝરાયેલને ખતમ કરવા, યુએસ અને આઝાદ દુનિયા સાથે વિસ્તારના દેશોને ધમકી આપશે અને ઈરાની જનતા પર જુલમ કરવાનો પ્લાન બનવાશે, તો નિશ્ચિતપણે તેનો ખાતમો અમારા આગામી ટાર્ગેટ હશે. તેમણે કહ્યું કે, તેનાથી કોઈ ફરક પડતો નથી કે તેનું નામ શું છે અને તે ક્યાં છુપાયેલો છે.

કાટ્ઝે આગળ કહ્યું કે, અમે અમારા અમેરિકી સહયોગીઓ સાથે મળીને, સરકારની શક્તિને ખતમ કરવા અને ઈરાની લોકો માટે તેને ઉખાડી ફેંકવા અને તેની જગ્યાએ બીજા કોઈને લાવવા માટે હાલત બનાવવા માટે સંપૂર્ણ શક્તિ સાથે કામ કરતા રહીશું.

બુધવારે ખામેનેઈના દીકરા મોજતબાને દેશના સર્વોચ્ચ નેતા ચૂંટવાની ઘોષણા કરી. ઈરાનની નિષ્ણાત સભાએ તેમને આ પદ માટે નિયુક્ત કર્યા. શનિવારે તેહરાન પર અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલાના દિવસે જ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત ઈરાનના કેટલાય ટોપ કમાન્ડર્સના મોત થઈ ગયા હતા.

ઈરાન ઈન્ટરનેશનલની એક વિશેષ રિપોર્ટ અનુસાર, આ સિલેક્શન શક્તિશાળી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના પ્રેશરમાં કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે વર્તમાન યુદ્ધ સ્થિતિના કારણે નિષ્ણાત સભાની પૂર્ણ બેઠક સંભવ નથી. એટલા માટે નિર્ણય આભાસી બેઠક અને આંતરિક પરામર્શ દ્વારા લેવામાં આવ્યો.

રિપોર્ટ કહે છે કે તેમનું આ પદ માટે ચૂંટાવું રાજનીતિક રીતે સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે. તેનું કારણ એ છે કે થોડા દિવસ પહેલા અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં તેમના પિતા અલી ખામેનેઈનું મોત થઈ ગયું. આ હુમલા બાદ આખા મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *