Final Up to date:
પ્રોફેસરે દાવો કર્યો છે કે ઈરાનને અમેરિકા અથવા તેના સહયોગીઓને હરાવવા માટે એક પણ ગોળી ચલાવવાની જરૂર નથી. ઈરાન ખાલી પોતાની એક ચાલથી લાખો લોકોની વચ્ચે હાહાકાર મચાવી શકે છે. આ રણનીતિ કોઈ મિસાઈલ હુમલાથી ક્યાંય વધારે ઘાતક સાબિત થઈ શકે છે.
નવી દિલ્હી: ઈરાન હાલમાં તો એકલા જ અમેરિકા-ઈઝરાયેલ સામે લડી રહ્યું છે. તેણે સઉદી અરબ, કતર, બહરીન જેવા ખાડીના તમામ દેશોને પણ ટાર્ગેટ બનાવ્યા છે. જો કે હવે યુદ્ધની રીત બદલાઈ રહી છે અને હથિયારથી વધારે મગજ વાપરવાનો ખેલ મહત્ત્વનો થઈ ગયો છે. એક ચીની પ્રોફેસરે ઈરાનને એવો આઈડિયા આપ્યો છે, જે હટકે છે. પ્રોફેસરે દાવો કર્યો છે કે ઈરાનને અમેરિકા અથવા તેના સહયોગીઓને હરાવવા માટે એક પણ ગોળી ચલાવવાની જરૂર નથી. ઈરાન ખાલી પોતાની એક ચાલથી લાખો લોકોની વચ્ચે હાહાકાર મચાવી શકે છે. આ રણનીતિ કોઈ મિસાઈલ હુમલાથી ક્યાંય વધારે ઘાતક સાબિત થઈ શકે છે.
ચીની પ્રોફેસરે કહ્યું કે ખાડી દેશોની સૌથી મોટી તકલીફ એ છે કે ત્યાં પ્રાકૃતિક તાજા પાણીનો કોઈ સ્ત્રોત નથી. પ્રોફેસરના જણાવ્યા અનુસાર, આ દેશોમાં પીવા યોગ્ય 60 ટકા પાણી ડિસેલિનેશન (ખારા પાણીને મીઠું બનાવવાની) પ્રક્રિયાથી આવે છે.
આ સમગ્ર વિસ્તાર પોતાની પાણીની જરૂરિયાતો માટે વિશાળ મશીનો અને પ્લાન્ટ્સ પર નિર્ભર છે. જો આ પ્લાન્ટ કામ કરવાનું બંધ કરે તો ગણતરીની કલાકોમાં જ ત્યાં પાણી માટે મોટું યુદ્ધ શરૂ થઈ જાય. આ એક એવી નબળાઈ છે, જેને અત્યાર સુધી નજરઅંદાજ કરવામાં આવી રહી હતી.
ચીની પ્રોફેસરનું વિશ્લેષણ ખૂબ જ ડરામણું છે. તેમનું કહેવું છે કે ઈરાનને કોઈ મોટી ફૌજની જરૂર નથી. ખાલી એક સુસાઈડ ડ્રોન કોઈ મુખ્ય વોટર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી શકે છે. જ્યારે એક મોટો પ્લાન્ટ ખતમ થશે, તો લાખો લોકો પાણી વિના રહી જશે.
ખાડી દેશમાં 80 ટકા ખાવાનું બહારથી આવે છે. જે સંપૂર્ણપણે પાણી અને સપ્લાય ચેઇન પર ટકેલું છે. પાણી વિના ન તો ખાવાનું બનશે અને ન લોકો જીવતા રહેશે. આ કોઈ પણ યુદ્ધ વિના આખેઆખી વસ્તીને ખતમ કરવા જેવું હશે.
યુદ્ધમાં હંમેશા સૈનિકોની બહાદુરીની વાત થતી હોય છે, પણ પાણી વિના કોઈ ફૌજ લડી શકતી નથી. મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકી સૈનિકો માટે પણ પાણીની સપ્લાય આ જ લોકલ સોર્સેઝમાંથી આવે છે. પ્રોફેસરનો તર્ક છે કે જ્યારે જનતા પાણી વિના રહેશે તો ચારે તરફ અફરાતફરી મચી જશે, તો અમેરિકી સેનાનું મેનેજમેન્ટ ફેલ થઈ જશે. તેમને પોતાની સુરક્ષાથી વધારે લોકોને પાણીની વ્યવસ્થા કરવાની ચિંતા વધારે સતાવશે. આ સ્થિતિ કોઈ પણ દેશને ઘૂંટણીયે લાવવા માટે પૂરતી છે.
ઈરાન પાસે આધુનિક ડ્રોન ટેકનોલોજી છે. જે રડારની નજરથી બચીને સટીક ટાર્ગેટ લગાવી શકે છે. ડિસેલિનેશન પ્લાન્ટ દરિયા કિનારે આવેલા હોય છે અને તેની સુરક્ષા કરવી ખૂબ પડકારભર્યું છે. એક નાના ધમાકાથી આ પ્લાન્ટની કિંમતી મશીનો ખરાબ કરી શકાય છે. કેમ કે આ મશીનોને ઠીક કરવામાં મહિનાઓનો સમય લાગે છે. એટલા માટે એક વાર હુમલો કર્યા બાદ રિપેર થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. આ ખાડી દેશો માટે સૌથી દુખતી નસ સાબિત થઈ રહી છે.

