Final Up to date:
આ હવાઈ હુમલામાં 16 નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે બેધડક કહ્યું છે કે આ પાકિસ્તાનની કાયરતાપૂર્ણ આક્રમકતા છે. જેને સાંખી લેવાય નહીં.
કાબુલ: વેસ્ટ એશિયામાં તો ઈરાન અને અમેરિકા વચ્ચે જંગ ચાલી રહી છે, તેની સાથે જ સાઉથ એશિયામાં પણ માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે. અહીં બે પાડોશી દેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, એક બીજાના લોહીના તરસ્યા થઈ ગયા છે અને તેમની વચ્ચે ઓપન વોર એટલે કે ખુલ્લી જંગ શરૂ થઈ ચૂકી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને જે રીતે મોતનું તાંડવ મચાવ્યું છે, તેને જોઈ ભારતનો પારો ચઢી ગયો છે. ભારતે પાકિસ્તાની હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરતા તેમને અરીસો બતાવી દીધો છે.
આ હવાઈ હુમલામાં 16 નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે બેધડક કહ્યું છે કે આ પાકિસ્તાનની કાયરતાપૂર્ણ આક્રમકતા છે. જેને સાંખી લેવાય નહીં.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મીડિયાના સવાલો પર જવાબ આપતા પાકિસ્તાનને ખરીખોટી સંભળાવી દીધી. તેમણે ભારતનું વલણ રજૂ કરતા સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન દ્વારા અફઘાન વિસ્તારમાં હવાઈ હુમલા કરવા અને નાગરિક સ્ટ્રક્ચરને ખતમ કરવું આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. ભારતે ફરી એક વાર યાદ અપાવ્યું કે તે એક સ્વતંત્ર અને અખંડ અફઘાનિસ્તાનના પક્ષમાં છે અને પાડોશી દેશની ક્ષેત્રીય અખંડિતાનું સંપૂર્ણપણે સન્માન કરવું જોઈએ.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ન ફક્ત આ હુમલાની નિંદા કરી, પણ થોડા જ કલાકોની અંદર તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. કાબુલે દાવો કર્યો કે અફઘાન વાયુ સેનાએ જવાબી કાર્યવાહી કરતા ઈસ્લામાબાદ પાસે આવેલા પાકિસ્તાની સૈન્ય પ્રતિષ્ઠાનો અને ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના કેટલાય ભાગને ટાર્ગેટ બનાવ્યા છે.
અફઘાન પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદ અનુસાર, પાકિસ્તાની વિમાનોએ કંધાર એરપોર્ટ પાસે ખાનગી એરલાઈન કામ એયરના ઈંધણ ડેપોને પણ તબાહ કરી દીધા. જેનો ઉપયોગ માનવીય સહાયતા અને સંયુક્ત રાષ્ટ્રની ઉડાનો માટે કરવામાં આવતો હતો.
Mar 14, 2026 10:52 PM IST

